Gujarat Farmer Free Smartphone Yojana 2024

કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતોના હિતને ધ્યાને રાખીને ઘણી યોજનાઓ અમલમાં મુકવામાં આવેલ છે. જેના માટે આઈ ખેડૂત પોર્ટલ બનાવેલ છે. જેમાં વર્ષ 2023-24 માટે યોજનાઓ અમલી બનાવેલ છે. જેમાં પશુપાલની યોજનાઓ 2023, બાગાયતી યોજનાઓ વગેરે ઓનલાઈન મૂકવામાં આવેલ છે. જેમાં ઘણી બધી યોજનાઓ ખેડૂતો, પશુપાલકો માટે ચાલે છે. જેમાં મફત ખાણ-દાણ સહાય યોજના, પાવર ટીલર સહાય યોજના વગેરે કાર્યરત છે.

ગુજરાતના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ગુજરાત મોબાઇલ સહાય યોજના શરૂ કરવામાં આવેલી છે. જે ખેડૂતો ગુજરાત સ્માર્ટફોન સહાય યોજના લાભ લેવા માગતા હોય તો તે ખેડૂતોએ ઓનલાઇન આઇ ખેડૂત પોર્ટ (Gujarat Farmer Free Smartphone Yojana) ઓફિસિયલ વેબસાઈટ પરથી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે જેની બધી જ માહિતી આપણે જાણીએ.

Gujarat Farmer Free Smartphone Yojana 2023

યોજનાનું નામખેડૂતો માટે સ્માર્ટફોન સહાય યોજના 2023
ઉદ્દેશ્યગુજરાતના ખેડૂતોને ડીજીટલાઇઝેશન કરવાનું
લાભાર્થીઓગુજરાત રાજ્યના ખેડૂતો
મળવાપાત્ર સહાયમોબાઇલની ખરીદી પર 30% સુધી સહાય જે પહેલાં 10 ટકા હતી હવે તેને 30% કરી દેવામાં આવેલી છે
કેટલીવાર સહાય મળવાપાત્ર થશેઆજીવન એક વખત
ફોર્મ ભરવાની તારીખ09-01-2024
વેબસાઈટikhedut.gujarat.gov.in

ખેડૂતો માટે સ્માર્ટફોન સહાય યોજના

ગુજરાત સરકાર દ્વારા સ્માર્ટફોન મોબાઇલ સહાય યોજના આપવામાં આવી છે, જેના લીધે ખેડૂતો સ્માર્ટફોનનો ઉપયોગ કરીને ખેતી, ખેતી વિષયક ઘણી બધી બીજી માહિતીની આપલે કરીને, ફોટોગ્રાફી કરીને તેના દ્વારા મેલ વિડિયોની અપડેટ થઈ શકે. અને તેના કારણે ખેડૂતો પણ માહિતગાર થઇ શકે તે માટે ખેડૂત મોબાઈલ સહાય યોજના (Gujarat Farmer Free Smartphone Yojana) બનાવવામાં આવી છે.

આ પણ વાંચો : તાર ફેન્સીંગ યોજના ૨૦૨૪

લાભાર્થીની પાત્રતા

જે ખેડૂત ગુજરાતનો હોય અને તે અકસ્માત વીમા યોજનાનો લાભ લેવા માંગતા હોય તો તેમને નીચે આપેલી બધી જ પાત્રતા ધરાવતા હોવા જોઈએ, તો જ તે આ યોજનાનો લાભ લેવા માટે અરજી કરી શકે છે.

  • જે વ્યક્તિ સ્માર્ટફોન સહાયની અરજી કરવા માગતો હોય, તે વ્યક્તિ ગુજરાતમાં રહેતો હોવો જોઈએ.
  • અરજી કરનાર વ્યક્તિ મૂળ ગુજરાત રાજ્યનો હોવો જોઈએ, અને તે ખેડૂત ગુજરાતમાં જમીન ધરાવતો હોવો જોઈએ.
  • જો ખેડૂત ખાતેદારને ખેડૂત ખાતેદારમાં જેટલા ખાતા દર્શાવેલ હશે તેના કરતા વધારે જો ખાતા હશે, તો તેમને સહાય એકવાર જ મળવા પાત્ર થશે.
  • જો અરજી કરનાર વ્યક્તિ સંયુક્ત ખાતા ધરાવતા હોય તો તેમાંથી ikhedut 8-A ખેડૂતોને તેમાં દર્શાવ્યા મુજબ ખાતેદાર પેકેજ સંયુક્ત પૈકી એક ને જ લાભ મળવાપાત્ર છે.
  • આ મોબાઈલ યોજના માત્ર ને માત્ર મોબાઈલની જ ખરીદી પર ઉપલબ્ધ છે મોબાઇલ ની એસેસરી જેવી કે ઈયર-ફોન, ચાર્જર, બેટરી જેવી સાધનો પણ સાથે આપવામાં આવતા નથી.

ખેડૂત મોબાઈલ સહાય યોજનામાં થનારા લાભ

જે ખેડૂતો આ સહાયનો ઉપયોગ કરીને સમાર્ટફોન ખરીદવા માંગતા હોય તે વ્યક્તિએ આ યોજનામાં થનાર લાભો જાણવા ખૂબજ જરૂરી ગણાય છે, તે માટે થનારા લાભો નીચે મુજબ આપવામાં આવેલ છે.

જે ખેડૂત વ્યક્તિ ખેડૂત મોબાઈલ સહાય યોજના દ્વારા જો સ્માર્ટ ફોનની ખરીદી કરે તો તેમને સહાય આપવામાં આવે છે. ખેડૂત ખાતેદાર દ્વારા સ્માર્ટફોનની ખરીદી પર સહાય મળવાપાત્ર રહેશે જ અને તે સહાયમાં ભાગ લેવા માંગતા હોય તો રૂપિયા 15,000 સુધીના સ્માર્ટફોન ની ખરીદી પર 40 ટકા સહાય અથવા 6000 રૂપિયા. આ બંને માંથી જે ઓછું હોય તે સહાય મળવા પાત્ર રહેશે.

દાખલા તરીકે કોઈ ખેડૂત રૂપિયા 9,000 ની કિંમતમાં ફોનની ખરીદી કરે છે અને તે કિંમતના 40 ટકા મુજબ તેમને 3,600 રૂપિયા સહાય મળશે, જ્યારે લાભાર્થી ખેડૂતો દ્વારા 16,000 રૂપિયાની કિંમતમાં પણ ફોનની ખરીદી કરે છે પણ તેમના 40% લેખે 6,400 રૂપિયા થાય. નિયમ અનુસાર તો તેમને 6,000 રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર રહેશે.

જે લોકો મોબાઇલ સહાય યોજનાથી મોબાઈલની ખરીદી કરવા માંગતા હતા તેના માટે પહેલા 10% ટકા વળતર આપવામાં આવતું હતું. આજે હવે 10% થી વધારીને 40% વળતર આપવામાં આવે છે, એટલે કે 30% જેટલું વળતર આ યોજનામાં વધારી દેવામાં આવેલ છે. હવેથી આ યોજનાનો લાભ લેવા માંગે તો તેમને 40% રૂપિયા સુધીનું વળતર મળવાપાત્ર થશે.

Free Smartphone Yojana for Gujarat Farmer 2023 ડોક્યુમેન્ટ લિસ્ટ

જે લોકો આ યોજના એટલે કે Gujarat Farmer Free Smartphone Yojana યોજનાનો લાભ મેળવવા માંગતા હોય તો તેમના માટે તમારે સૌ પ્રથમ આઇ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઇન અરજી કરવાની રહે છે, અને તેના માટે જોઇતા અગત્યના ડોકમેન્ટ્સ નીચે મુજબ છે.

  • જે ખેડૂત ખાતાદાર ધરાવતો હોય તેની આધાર કાર્ડની નકલ.
  • અસલી બિલ જે સ્માર્ટફોન નો જીએસટી નંબર ધરાવતું હોય તે.
  • જે સ્માર્ટફોન ખરીદવાનો હોય તેની આઇએમઇઆઇ નંબર.
  • જે વ્યક્તિ ફોનની ખરીદી કરવા માગતો હોય તે ખેડૂત ના જમીનના ડોક્યુમેન્ટ ની નકલ.
  • જે ખેતી માટે 8-અ હોય છે, તેની નકલ.
  • ખેડૂતોનો રદ થયેલા ચેક ની નકલ.
  • અરજદારની બેંક ખાતાના પાસબુકની નકલ.

ખરીદી કરવા માટે કોણ સહાય મેળવી શકે?

સ્માર્ટફોનની ખરીદી કરવા માટે કોણ કોણ અરજી કરી શકે અને કોણ કોણ સહાય મેળવી શકે તે માટેની માહિતી નીચે મુજબ આપવામાં આવેલી છે. જે તમે જોઈ સકો છો.

ઉપર સરકાર દ્વારા આપવામાં આવેલ માહિતી પ્રમાણે ગુજરાતના રહેવાસી હોવા જોઈએ અને પોતાની જમીન ધરાવતા હોવા જોઈએ તે તમામ ખેડૂતો સ્માર્ટફોન સહાય માટે અરજી કરી શકે છે. અને સ્માર્ટફોન મેળવી શકે છે. જો તમે ફોનની ખરીદી કરવા માંગતા હોવ તો તેના માટે iKhedut પોર્ટલ (https://ikhedut.gujarat.gov.in/) પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે. આ સહાય હેઠળ તમે જે સ્માર્ટફોનની ખરીદી કરો છો તે સ્માર્ટફોનની કિંમતના 40 ટકા સુધીની (મહત્તમ 6,000 રૂપિયા) સહાયની જાહેરાત કરવામાં આવી હતી.

Smartphone યોજના 2023 ફોર્મ ભરવા માટેની લિંકClick Here
HomepageClick Here

Leave a Comment